અરવલ્લીના મોડાસામાં એક ગમ્ખ્યાર અકસ્માત સામે આવ્યો છે. મોડાસાના સાઈરા ગામના 8 વ્યક્તિને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંબાજી દર્શન કરીને પરત ફરતી વખતે પરીવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોચી છે. મળતી વધુ માહિતી અનુસાર કારચાલક દારૂ પીને વાહન હંકારતું હોય એવું લોક મુખે ચર્ચા થઇ રહી છે. એમ પણ અરવલ્લીમાં અકસ્માત થવા એ હવે સામાન્ય બની ગયું છે. દિવસેને દિવસે અર્વ્લ્લીમાં અકસ્માતોના સમાચાર સામે આવતા જ હોય છે તેવામાં હાલ જ અનેક અકસ્માતો સર્જાયા હતા જેમાં મેઘરજ બાયપાસ ચોકડી પર મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે બેફીકરાઈથી ચલાવી રોડ ઉપર ઉભેલી છ ગાયોને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. ગાયો ઉપર અજાણ્યા વાહનના વ્હીલ ફરી વળતાં છ ગાયોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.એકસાથે છ ગાયોના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આમ હાઈવે માર્ગ ઉપર માંતેલા સાંઢની માફક ભારે વાહનો બેફામ રીતે હંકારાતાં લોકામાં રોષ ફેલાયો હતો. એમ હવે જોવાનું રહ્યું કે આ અકસ્માતોના આકડાઓમાં સુધારો ક્યારે આવશે કે પછી રોજ બરોજ આમ જ અરવલ્લીમાં અકસ્માતો સર્જાતા રહશે.
મોડાસામાં એક ગમ્ખ્યાર અકસ્માત સર્જાયો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment