ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પ્રદૂષણ જેવા પડકારોનો સામનો કરવા માટે વિશ્વની 6 અગ્રણી કંપનીઓએ બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. આ કંપનીઓએ આ નિર્ણય બ્રિટનના ગ્લાસ્ગોમાં ચાલી રહેલા COP26ની બેઠક બાદ લીધો છે. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે એક અસરકારક પહેલ તરીકે જોવામાં આવે છે. સમિટમાં 2040 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલનારી ગેસોનું વેચાણ ધીમે ધીમે ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ફોર્ડ, મર્સિડીઝ-બેંઝ, જનરલ મોટર્સ અને વોલ્વો સહિત ગાડી બનાવનારી આશરે 6 મોટી કંપનીઓ આ અંગે સહમત થઈ છે. 31 દેશોની સરકારે ધીમે ધીમે વેચાણ બંધ કરાવની જાહેરાત કરી છે. જોકે ટોયોટા, વોક્સવેગન અને નિસાન-રેનોલ્ટ જેવી અનેક મોટી કાર ઉત્પાદક કંપની તેને માનવાથી ઈન્કાર કર્યો છે. પર્યાવરણને બચાવવા માટે છેલ્લા 2 સપ્તાહથી ગ્લાસ્ગોમાં ચાલી રહેલી COP26 સમિટ શુક્રવારે પૂરી થશે. આ અગાઉ બુધવારે જળવાયુ પરિવર્તન પર નજર રાખનારી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે.
તેમા તમામ દેશોમાંથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન ઓછું કરવાનો લક્ષ્ય પર ફરી વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. ઈશ્યુ કરાયેલ દસ્તાવેજ એગ્રીમેન્ટની એક શરૂઆતી રૂપરેખા છે. ગ્લોબલ ક્લાઈમેટ સમિટ બાદ આશરે 200 દેશ વચ્ચે આ કરાર થયો છે. શુક્રવારે સમિટ ખતમ થઈ રહી છે. એજન્સીનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા મોટા લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ. જનતાને પ્રોત્સાહિત કરવા જોઈએ કે કોલસા, ઓઈલ અને ગેસના ઉત્પાદનનો ઉપયોગ ઓછામાં ઓછા કરે. આ અંગે આપવામાં આવતી સબસિડી ખતમ કરવી જોઈએ. સમિટમાં તે સંપૂર્ણ લક્ષ્યાંકમાં વાત કરવામાં આવી, જે 1.5 ડિગ્રી સેલ્સિયસ (2.7 ફોરેનહિટ) તાપમાન ઓછું કરવામાં નક્કી કરાયું હતું. વૈજ્ઞાનિકોના મતે હિટ વેવ્સ વધવાથી જંગલોમાં આગ, પૂર અને દુષ્કાળ જેવી ઘટનાઓ વધી રહી છે. અગાઉી જ પૃથ્વીનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ વધી ચુક્યું છે.
ભારત-વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે
Leave a comment
Leave a comment