વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષે દેશ રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતી મનાવી રહ્યો છે. ત્યારે એકવાર ઉપયોગમાં આવનારા પ્લાસ્ટિક સામે નવા જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે. પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક કચરાના યોગ્ય સંગ્રહ અને નિકાલની જરૂર હોવાનું પીએમ મોદીએ જણાવ્યુ હતું. ત્યારે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક અમૂલ ડેરી વડાપ્રધાન મોદીની આ મૂહિમમાં જોડાવા જઈ રહી છે.અમૂલ દૂધના પાઉચ ઘટાડવા અને તેને રીસાઈકલ કરવા પર ભાર મૂકી રહી છે. જે મુજબ લોકોને 500 એમએલના 4 પાઉચના બદલે સીધુ જ 2 લિટરનું પાઉચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિસ્ટમના અમલ બાદ થોડા જ સમયમાં ગ્રાહકોને પ્રત્યેક લિટર 2થી 4 રુપિયા જેટલી બચત થશે. અમૂલે એક અને બે લિટર દૂધના પાઉચને દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મોટા માર્કેટમાં પ્રમોટ કરવાનું શરુ કરી દીધુ છે. જેમકે હાલમાં અમૂલ ગોલ્ડનું પાઉચ બજારમાં 27 રુપિયામાં મળે છે, પરંતુ જો ગ્રાહક એક લિટરનું પાઉચ ખરીદે છે તો તેને 53 રુપિયામાં પડે છે. આવી જ રીતે બે લિટરનું પાઉચ ખરીદવા પર 103 રુપિયા થાય છે. પરિણામે દરેક લિટરે તેને 1 રુપિયો અને બે લિટરે 5 રુપિયાની બચત થશે.