ભરૂચ જિલ્લાના આમોદમાં રાત્રીના સમયે બત્રીસી નાળા પાસે ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ વાહનોને ભારે નુકશાન થયું હતું. જેથી વાહનચાલકોમાં હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ ફેલાયો હતો. આમોદમાં બત્રીસી નાળા પાસે રાત્રીના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ગાડી તેમજ બે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી આમોદ પોલીસે આવી ટ્રાફિક હળવો કરતાં ટ્રાફિક ખુલ્યો હતો.અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકશાન થયું હતું. જેથી હાઇવે ઓથોરિટી સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો…
ભરૂચ : આમોદમાં ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સમાત સર્જાયો
Leave a comment
Leave a comment