Connect with us

અરવલ્લી

ભિલોડાના ખરાબ રસ્તાથી લોકો પરેશાન

Published

on

ભિલોડા તાલુકાના ટાકાટૂકાથી ટોરડા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ટાકાટૂકા થી ટોરડા જવાનો રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. આ રસ્તો બનાવવાં માટે ગ્રામજનોએ તંત્રને અનેક વાર રજુઆતો કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તા પર એવા મોટા ખાડા પડેલા છે કે તેનાથી વાહન ચાલકને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાનું કામ જલ્દી થાય તેવી ગ્રામજનોની માંગણી છે. રસ્તાઓની ખરાબ હાલતના કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. બીઆરટીએસ અને એએમટીએસ રુટ તેમજ ભરચક રહેતા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ જોખમી બની ગયા છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ભુવા પડવાના બનાવો જારી રહ્યા છે. ખાડા અને ભુવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે તેમ અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ વરસાદના કારણે ધોવાઈ ગયેલા રસ્તા અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે જેથી સ્થાનિક લોકો વધુ સાવચેત રહે તેવી પણ જરૂર છે. ખરાબ રસ્તા તેમજ ખાડાઓને કારણે સર્જાતી દુર્ઘટના માટે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એસપી-55 મુજબ સંબંધિત એજન્સી જિમ્મેદાર બને છે. ખરાબ રસ્તાઓને કારણે સર્જાતા અકસ્માતમાં પીડિત વ્યક્તિ અથવા તો તેના પરિવારના સંબંધિત રસ્તાઓ બનાવતી એજન્સી સામે ધારા 288, 431 અને 338 હેઠળ ગુનો નોંધાવી શકાય છે. ખરાબ રસ્તાઓને કારણે સર્જાતા અકસ્માતના બનાવની જો પોલીસ ફરિયાદ ન લે તો પીડિત વ્યક્તિ કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અરવલ્લી

અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

Published

on

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું  સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે.

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ (Gujarat monsoon 2022) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા (Dhansura Rain)માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

Continue Reading

અરવલ્લી

અરવલ્લી : મંકિપોક્સના ભય વચ્ચે ચીકનપોક્સના કેસમાં વધારો, જીલ્લામાં બાળકો ચિકનપોક્સનો શિકાર બની રહ્યા છે,સગર્ભા માટે ભય

Published

on

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

દુનિયામાં મંકિપોક્સના કેસ સતત વધી રહ્યા છે મંકીપોક્સે વિશ્વના ઘણા દેશોમાં ભય ફેલાવ્યો છે સદ્નસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મંકિપોક્સ જેવા લક્ષણો ધરાવતો ચિકનપૉક્સ બાળકોમાં જોવા મળતા અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાયો છેઅરવલ્લી જીલ્લામાં ચિકનપૉક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લામાં અત્યાર સુધી 50 જેટલા બાળકો ચિકનપૉક્સનો ભોગ બનતા તબીબો પણ માથું ખંજવાળી રહ્યા છે ત્યારે ચિકનપૉક્સ બીમારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

ચિકનપૉક્સ સગર્ભા મહિલાઓ અને પુખ્તવયના લોકો પણ શિકાર બની શકે છેચિકનપોક્સમાં, દર્દીઓને તાવ સાથે શરીર પર નાના લાલ ફોલ્લીઓ પડે છે. આ અંગે તબીબના જણાવ્યા અનુસાર,ચિનકપોક્સ એક ચેપી રોગ છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને આ રોગનું જોખમ રહેલું છે. ચિકનપૉક્સ વાઇરલ ઈન્ફેક્શન હોવાથી જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમને પણ આ રોગ થઈ શકે છે. દર્દીના દાણા અને ઘા માંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી પણ બીજા વ્યક્તિ ચેપનો શિકાર પણ બની શકે છે. આ બિમારીથી બચવા માટે બને ત્યાં સુધી સ્વસ્થતા અને ચિકનપૉક્સના દર્દીથી અંતર જાળવવું ખુબ જરૂરી છે

Continue Reading

અરવલ્લી

BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિવસ નિમિત્તે મોડાસામાં જનજાગૃતિ રેલી, હજારો લોકો ધુમ્રપાન છોડવા શપથ લેવડાવ્યા

Published

on

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

આંતર રાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિન નિમિતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ના ભાગ રૂપે દેશના 17 રાજ્યોના સેંકડો શહેરોમા વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના મોડાસા માં પણ ભવ્ય રેલી નીકળી હતી. પૂજ્ય નિર્મલ ચરણ સ્વામીએ ઠાકોરજીનું પૂજન આરતી કરી હતી આ પ્રસંગે મામલતદાર અરુણ ગઢવી, અગ્રણી કનુભાઈ રાવજી ભાઈ પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કૌશલ પટેલ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશન મોડાસા ના હોદ્દેદારો ડો. દિવ્યાંગ પટેલ, ડો. કૃપેશ પટેલ સંસ્થાના અન્ય સંતો વડીલ હરિભક્તો ડો. જીતુભાઇ પટેલ, ડો. હેમંત ભાઈ પટેલ વિગેરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વ્યસન મુક્તિ માટે વિવિદ પોસ્ટરો સૂત્રો ગીતો દ્વારા સમગ્ર શહેરમાં પ્રેરણા પુરી પાડી હતી. આ પૂર્વે 14 દિવસમાં સંસ્થાના બાળકો દ્વારા 12,500 થી વધુ વ્યક્તિઓ નો સંપર્ક કરી અને વ્યસન છોડવા ના નિયમ લેવડયા હતા.

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આંગણજ અમદાવાદ મુકામે 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 દરમિયાન ધામધૂમ પૂર્વક 750 એકર જમીનમાં ઉજવાશે ,જેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ ઉત્સવમાં લાખો દર્શનાર્થીઓ આવશે, જે માટે દેશ વિદેશના 28,000 જેટલા સ્વયં સેવકો 30 દિવસ થી 8 માસ સુધી નિસ્વાર્થ સેવા આપશે.BAPS SWAMINARAYAN સંસ્થા ના પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ના માર્ગદર્શન હેઠળ ભૂતકાળ મા પણ લાખો વ્યક્તિઓને વ્યસન મુક્ત થયા હતા અને આદર્શ નિર્વ્યસની જીવન જીવતા થયા હતા અને જીવનમાં દરેક ખુબ પ્રગતિ કરી રહ્યા છે અને હજારોને વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે

Continue Reading
Uncategorized24 mins ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized1 hour ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized2 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized3 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized5 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized6 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ6 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized8 hours ago

તમને રાતોરાત કાંટાદાર ગરમીથી છુટકારો મળશે, તમારે ફક્ત આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending