ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફાની વિલાદતની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદે મિલાદુનબીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દાહોદ શહેરમાં આજરોજ ઈદે મિલાદુનબીના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. સરકારની કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન પણ કરવામાં આવ્યું હતું. દેશ, દુનિયામાં શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ઈદે મિલાદુનબીનો તહેવાર દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજના નબીસાહેબના જન્મ દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો.
દાહોદ શહેરના ઠક્કર ફળિયા, કસ્બા, જેવા વિસ્તારોમાં મુસ્લિમ બિરદારો દ્વારા આ તહેવારની હર્ષાે ઉલ્લાસાથે ઉજવણી કરી હતી. શહેરમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી. સરકારીની કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશ અને ગુજરાત રાજ્ય તેમજ દાહોદ શહેરમાં તમામ સમાજના લોકોમાં ભાઈચારો બની રહે તેવી પ્રાર્થના પણ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી.
દાહોદ- ઈદે મિલાદુનબી ઉજવણી કરવામાં આવી
Leave a comment
Leave a comment