સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ તાલુકામાં હાલમાં કોરોના સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. જેના કારણે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોના સંક્રમણ રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેને લઇ વડાલીમાં આવેલું માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડાલીમાં કોરોના સંક્રમણ અટકાવવા માર્કેટયાર્ડ ૨૬ એપ્રિલથી ૨જી મે સુધી બંધ રાખવાનો નિર્ણય બજાર સમિતિ દ્વારા લેવામા આવ્યો છે.
માર્કેટ યાર્ડમાં આજુબાજુથી ખેડૂતો માલના વેચાણ માટે આવતા હોય છે અને ભીડ ભેગી થાય છે. તેથી સંક્રમણ ન થાય તે માટે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આઠ દિવસ માર્કેટયાર્ડમાં વેપાર-હરાજી-ખરીદી બંધ રહેશે. ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોને માસ્ક તેમજ સમજ પણ આપવામાં આવી રહી છે.