Connect with us

બનાસકાંઠા

અંબાજી ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત – અકસ્માતમાં 21 લોકોના મોત અને 35 જેટલા લોકો ઘાયલ

Published

on

નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તેવામાં અંબાજીમાં આવેલ ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.  જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી.  અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે.  પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ,  આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે,  65 મુસાફરોથી ભરેલી બસના ડ્રાઇવરે ઘાટ પાસે કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી.  જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા.  ઘટનાસ્થળે બચાવ કામગીરી હતઃ ધરવામાં આવી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે,  હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પણ લોહીથી લથપથ હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
એન્ટરટેનમેન્ટ5 mins ago

સારા-વિકીની ‘ઝરા હટકે જરા બચકે’ પ્રથમ દિવસે કરી શકે છે જબરદસ્ત કલેક્શન 

એન્ટરટેનમેન્ટ10 mins ago

ઉર્ફી જાવેદઃ ટોપલેસ ફોટો શેર કર્યો, આ વખતે હાથ પણ ઢાંક્યા નથી!

Uncategorized14 mins ago

આલિયાથી લઈને મલાઈકા સુધીની અભિનેત્રીઓની મોંઘી અને અવનવી બેગ જુઓ

બિઝનેસ19 mins ago

તમારી પાસે પણ છે 2000 રૂપિયાની ફાટેલી નોટ, તો હવે તમને આટલા જ પૈસા મળશે

બિઝનેસ22 mins ago

2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ PNB અને AXIS બેંકે બદલ્યો નિર્ણય, ગ્રાહકોને થશે નુકસાન

ટેક્નોલોજી25 mins ago

હવે વ્હોટ્સએપ પર બધું સરળ થઈ જશે! નવા ફીચર બદલી નાખી ગેમ; તમારે પણ જાણવું જોઈએ

Uncategorized1 hour ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ2 hours ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending