મહીસાગરમાં લગ્નમાં ફરી એકવાર કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. જેમાં ભાજપના જુવાનસિંહ ચૌહાણ લગ્નમાં DJના તાલે નાચી ઉઠ્યા હતા. DJના તાલે નાચ્યા તો નાચ્યા પણ માસ્ક, સામાજિક અંતરનું જુવાનસિંહ સહિત અન્ય લોકો ભાન ભૂલ્યા હતા. એક બાજુ લગ્નમાં DJની મંજૂરી પણ મળતી નથી. છતાં DJ વગાડી નેતા નાચ્યા હતા. એક બાજુ DJ વાગતું હોય છે ને પોલીસની અચાનક એન્ટ્રી થતી હોય છે.
ત્યારે આ લગ્નમાં પોલીસની એન્ટ્રી થઇ ન હતી કેમ કે આ ભાજપના નેતા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપના નેતાઓને કોરોનાની ગંભીરતા નથી, ભાજપના નેતાને કોરોના ના થાય? ત્યારે એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ અને કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે આ રીતે સરેઆમ નેતાઓ જ કોરોનાના નિયમોનો ભંગ કરે તે કેટલુ યોગ્ય તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે શું મહીસાગર જીલ્લા પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કે પછી આ નિયમો સામાન્ય પ્રજા માટે જ છે.