પુરુષોતમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો.તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામમાં ખેડુત પરિવારમાં થયો હતો. તે ભારતીય રાજકારણી અને કેન્દ્રીય પંચાયત, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે. તેઓ રાજ્યસભાના સભ્ય હતા, તેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેઓ ગુજરાત વિધાનસભાના અમરેલીના પૂર્વ સભ્ય હતા અને અગાઉ તેઓએ ગુજરાત સરકારમાં મીનીસ્ટર તરીકે ફરજ બજાવી છે.રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે 1977 થી 1983 દરમિયાન માધ્યમિક શાળામાં હમાપુર ખાતે શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. રૂપાલાએ 1979 માં સવિતાબેન સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા અધ્યક્ષ તરીકે તેમનું પ્રથમ રાજકીય પદ 1988 માં હતું અને 1991 માં તેમને પક્ષના ગુજરાત એકમના સચિવ બનાવવામાં આવ્યા હતા. પછી તેમણે પાછું વળીને જોયું નથી. રુપાલા 1991 માં પ્રથમ વખત અમરેલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2002 સુધી સતત બે ચૂંટણીઓ જીત્યા હતા. તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને, તેમને નર્મદા, સિંચાઈ અને જળ સંસાધન અને પછીના કૃષિ માટે કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ 2016 માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં શામેલ થયા હતા.જૂન ૨૦૧6 માં ફરીથી પેટા ચૂંટણીમાં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ 2018 ના રોજ સમાપ્ત થયો હતો.અને મે 2019 માં, રૂપાલા કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી બન્યાં.