ગુજરાતમાં કોરોનાથી છેલ્લાં બે મહિનાથી રાહતની સ્થિતિ છે. અને છેલ્લાં એક મહિનાથી દૈનિક ૩૦થી પણ ઓછા કેસ ગુજરાતમાં નોંધાઇ રહ્યાં છે. ગુજરાતથી વિપરીત કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ઓગસ્ટના ૨૬ દિવસમાં જ ૪.૯૨ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સ્થિતિમાં કેરળથી આવનારી વ્યક્તિએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધો હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ તેવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા સરકારને અનુરોધ કરવામાં છે. કેરળમાં ૩૮.૮૩ લાખ કોરોના કેસો સાથે દેશમા બીજા સ્થાને છે. સારા સમાચાર કહી સકાય તેમ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે અને જનજીવન પૂર્વવત્ થઇ ગયું છે. આ રાહતજનક સ્થિતિ છતાં કોરોનાને હળવાશથી લેવાની બેદરકારી કરવી જોઇએ નહીં તેમ ડોક્ટરોનું માનવું છે. ગુજરાતમાં હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને તેના ઉત્સાહમાં અનેક લોકો કોવિડ ગાઇડલાઇન્સને જાણે સાવ જ ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
તજજ્ઞોના મતે કેરળમાં બકરી ઈદ વખતે અપાયેલી છૂટ બાદ જ કોરોનાના કેસમાં વધારો થવાનું શરૃ થયું હતું. ત્યારે આપણે હવે તહેવારોના સમયે વિશેષ તકેદારી રાખવી પડશે. આ અંગે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, ‘હાલમાં કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં આપણે કોરોનાને હળવાશથી લેવાની ભૂલ કરવાની જરૃર નથી. જે પણ તકેદારી રાખવાની છે તેનું ચુસ્તપણે પાલન કરતાં રહેવું પડશે. હાલ કોરોનાના વધુ કેસ નોંધાઇ રહ્યા છે તેવા રાજ્યો કેરળ, મહારાષ્ટ્રથી આવનારા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ. આ જ રીતે ગુજરાતમાંથી પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ કેરળ-મહારાષ્ટ્ર જવાની મંજૂરી આપવા અંગે વિચારણા થવી જોઇએ. કેસ વધુ નોંધાય છે તેવા રાજ્યોમાંથી ગુજરાત આવનારા માટે માત્ર આરટીપીસીઆર ટેસ્ટ પૂરતા નથી.’
ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!
Leave a comment
Leave a comment