ગુજરાતમા કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા કરફ્યૂનું સખ્ત પાલન કરાવી 8 વાગ્યા પછી નીકળતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી વિગત અનુસાર ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ જાહેર કરતાં પોલીસ દ્વારા કડકમા કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ 20 મહાનગર માં રાત્રે 8 થી સવાર ના 6 સુધી કર્ફ્યુ જાહેર કરાયો છે તેમાં શહેરના પોલીસ દ્વારા ગઈ કાલે રાત્રે 8 વાગ્યા થી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ,જરૂરી કામ સિવાય નિકળતાં લોકો ને રોકી ને પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે
તો બિન જરૂરી રીતે નીકળતા લોકો પર સખ્તાઈ ભર્યું વલણ દાખવી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ અલગ અલગ રસ્તા પર પોલીસે બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ જુનાગઢ શહેરમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી અને દુકાન, ગલ્લા બંધ કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો લોકોને પોલીસ દ્વારા નાઈટ કરફ્યુનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને રાખી નાઈટ કરફ્યુનું સખ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.