ખેડાના ડાકોર-સેવાલિયા રોડ પર ગળતેશ્વર તાલુકાના અંબાવ પાસે લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ડાકોર-સેવાલિયા રોડ પર ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ પાસે કાર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.ઘટનાને પગલે સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ થઇ શકી નથી જેને લઇ પોલીસ દ્વારા મોબાઈલ ફોન તેમજ દસ્તાવેજી પુરાવા એકત્ર કરી ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે.અકસ્માત થતા રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.મહત્વનું છે કે આ રોડ ગોધરાને અમદાવાદથી જોડાતો,ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ખાનગી લકઝરી બસો બેફામ બનીને દોડે છે.જેને લઇ અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે.ત્યારે બેફામ બનતી ખાનગી બસો પર કાર્યવાહી કરવાની પણ માંગ થવા પામી છે.
ખેડા : કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment