મહીસાગર જીલલાના સરાડીયા ગામે માનવત પ્રાથમિક શાળામા મહાત્મા ગાંધીજીની150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસ એમ એસ સી સભ્ય તેમજ શાળાના શિક્ષકો આચાર્ય તેમજ ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમા રેલી સ્વરુપે બાળકોને પ્રભાત ફેરી કરી પ્લાસ્ટીક વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. સ્વચ્છતા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. હવે આપણે ગાંધીજીની વાત કરીએ તો, ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર દેશભરમાં તેમને યાદ કરવામાં આવી રહ્યા છે.