હંમેશા વડીલો કહેતા આવ્યા છે કે બીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને કોઈની પેન, રુમાલ અને બેડ જેવી વસ્તુનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે, બીજાની ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ આપણાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં આ એક અંધવિશ્વાસ છે. બીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તેને લઈને જેટલાં પણ નિયમ છે તે બધા આર્થિક નુકસાન સાથે જોડાયેલા છે. વાસ્તવમાં આ યોગ્ય છે કે બીજાની પેન, રુમાલનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તેની પાછળ અંધશ્રધ્ધાનું કોઈ કારણ નથી માત્ર લોકોની માન્યતા છે.
તેની પાછળ ઉર્ઝા, હેલ્થ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક માન્યતા છે. વાસ્તુમાં માન્યતા છે તે જ્યારે આપણે કોઈની ઉપયોગ કરવામાં આવેલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો તેનાથી મનુષ્યની સકારાત્મક અને નકારત્મક ઉર્જા તે વસ્તુ દ્વારા આપણા સુધી પહોંચે છે જે આપણી આભાને ખરાબ કરી શકે છે. રુમાલ અને બેડ(પથારી) જેવી વસ્તુ હાઈજિનના કારણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તેના કારણે એક બીજાને બીમારી થાય છે. નકારાત્મક ઉર્જાના કારણે આપણા વ્યક્તિત્તવ પર ખરાબ અસર પડે છે. એટલાં માટે કોઈ પણ પાસેથી વસ્તુ ન માંગવી જોઈએ.