હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં પંચમહાલના હાલોલ તાલુકાના 27 ગામોને આગામી 3થી ચાર દિવસ પાણી નહીં મળે. પાવાગઢ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત હાલોલના 27 ગામોને 4 દિવસ સુધી પાણી નહિ મળે જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાની પાવાગઢ પાણી પુરવઠા યોજનામાં દેવડેમ ખાતે ટ્રાંસ્ફોરમાં ફોલ્ટ થયો હોવાને લઈ બે મોટરો એક સાથે બળી જતા પપીંગ બંધ થવા પામ્યું છે.
જેને લઈ આગામી 3 થી 4 દિવસ સુધી પપીંગ કરી શકાય તેમ નથી. પંપીંગ ન થઈ શકવાના કારણે પાણી પુરવઠો બંધ રહેશે જેની અસર સદર યોજનામાં સમાવિષ્ટ પાવાગઢની આસપાસ સહિત દેવડેમની આસપાસ ના 27 ગામોને થશે. આ સમયગાળા દરમ્યાન લોકલ સોર્સના માધ્યમનો ઉપયોગ કરી લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે.