પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા ઢાકલીયા રોડ પરના બાંધકામ દૂર કરવા માટે પાલિકા તરફથી નોટીસ આપવામાં આવી છે. જેને લઈ સ્થાનિક મહિલાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને મહિલાઓએ ચીફ ઓફીસરને આ અંગે રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ, પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાનગર પાલિકા હાલમા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરી રહી છે.આ તળાવની પાળે ઢાકલીયા તરફ જતા માર્ગ પર વસાહત આવેલી છે.
શહેરા નગરપાલિકા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ઢાકલીયા ગામ તરફ જવાના માર્ગ પાસે આવેલી વસાહતના કાંચા પાકા બાંધકામ દુર કરવા માટે નગરપાલિકાના સત્તાધીશોએ નોટીસ આપી છે. જેને લઈ અહીના સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી. પાલિકાએ બાંધકામ દૂર કરવાને લઈ નોટિસ આપી જણાવ્યું છે કે, જો ગેરકાયદેસર બાંધકામ અડચણરૂપ હોવાથી નોટીસ મળ્યાના ૧૦ દિવસમાં કાચા પાકા મકાનો સ્વેચ્છિક રીતે દુર કરવામાં આવે. નહીં તો સમય મર્યાદા બાદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવામાં આવશે.