હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજના વર્ષ 2018ના પ્રથમ વર્ષમાં MBBSના10 વિદ્યાર્થીઓ નપાસ થતા, તેઓ એરિ-એસએસમેન્ટ માટેની અરજી કરી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવા માટે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમજ ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી દેવામાં આવી હતી અને તેમને નાપાસમાંથી પાસ કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ સમયગાળા દરમિયાન યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાં જે વિદ્યાર્થીના વાલીઓની યુનિવર્સિટીમાં વગ કે ઓળખાણ હોય તેવા વિદ્યાર્થીઓની કોરી ઉત્તરવહીઓમાં પાછળથી લખીને પાસ કર્યાનુ બહાર આવ્યું છે.
જેને લઈ શિક્ષણવિદોમાં ખળભળાટ મચ્યો છે. સરકાર દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે IAS અધિકારી નાગરાજનને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ નાગરાજન તપાસ સમિતિ સામે પણ સવાલો ઉઠાવ્યાં છે અને આ તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવે તેવી માગ કરી છે. IAS અધિકારી નાગરાજન જો પાટણ યુનિવર્સિટીમાં તપાસ અર્થે આવશે. તો તેનો સખત વિરોધ કરી મોં કાળું કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 5 એપ્રિલ સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં કરવામાં આવે તો યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને બંધ કરાવી જવલદ કાર્યક્રમો આપવામાં આવશે, તેવી ચીમકી પણ સંઘર્ષ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.