Connect with us

પાટણ

પાટણ : સરસ્વતી તાલુકાનો કલાઉત્સવ યોજાયો

Published

on

જીસીઈઆરટી ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ પ્રેરિત બીઆરસી સરસ્વતી આયોજિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ભાટસણ પગારકેન્દ્ર શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી જોધાજી ઠાકોર તાલુકાના લાયઝન અધિકારીશ્રી ડૉ. પીનલબેન ગોરડીયા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોર, પાટણ જિલ્લા શૈક્ષિક સંઘ સંગઠનમંત્રી શ્રી બાબુભાઇ રબારી, તાલુકા શૈક્ષિક સંઘ મંત્રી શ્રી સુરેશજી ઠાકોર, તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રીઓ, બીઆરપી મિત્રો, પગારકેન્દ્ર ભાટસણના આચાર્યશ્રી શૈલેષભાઈ સુથાર, અન્ય પેટાશાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફ ગણ, તથા માર્ગદર્શક શિક્ષક શ્રીઓ હાજર રહ્યા. કુલ 48 વિદ્યાર્થીઓ અને ચેસ તથા ક્વિઝ કોમ્પિટિશનમાં 24 શિક્ષકોએ કલાઉત્સવમાં ભાગ લીધો. કલા ઉત્સવમાં આવેલ લક્ષ્મીપુરા(વામૈયા) પ્રાથમિક શાળાની બાળા ઠાકોર સેજલબેન ફુલસંગજીના હસ્તે રીબીન કાપીને કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સરસ્વતી તાલુકા તરફથી શિલ્ડ અને પૂર્વ ધારાસભ્ય શ્રી જોધાજી ઠાકોર તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી. ઉપસ્થિત તમામ માટે ભોજનની વ્યવસ્થા ભોજનના દાતા ભાટસણ સીઆરસી કો શ્રી સુરેશજી ઠાકોર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બાબુભાઇ રબારી દ્વારા કરવામાં આવ્યું. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રતાજી ઠાકોર ના માર્ગદર્શનથી તાલુકા કક્ષાના કલા ઉત્સવ માં સૌપ્રથમ વખત શિક્ષકો માટે ચેસ તથા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્વિઝ કોમ્પિટિશનમાં ચારૂપ શાળાના પ્રણવભાઈ તથા ચેસ સ્પર્ધામાં લક્ષ્મીપુરા (વદાણી) ના સુરેશભાઈ વિજેતા થયા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં બ્લોક સ્ટાફ સરસ્વતી, તમામ સી.આર.સી તથા ભાટસણ શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

પાટણ

રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ પર ગટરના પાણી રેલાતાં હાલાકી

Published

on

In Radhanpur, on the way to Greenpark from the highway, gutter water was lost

રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ ઉપર મહિનાઓથી ગટરના પાણી જાહેર માર્ગ ઉપર આવે છે. લોકો મહામુસીબતે ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે. અવાર-નવાર નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં પાલિકાના કોંગ્રેસની બોડીમાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી.લોકોની માંગ છે કે પાકો રોડ ના બને તો કમસે કમ લોકો ચાલી શકે એટલું કામ તો કરો.રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની જ બોડી સત્તા ઉપર હોવા છતાં શહેરના નાગરિકો આજે અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.

In Radhanpur, on the way to Greenpark from the highway, gutter water was lost

શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ઠેર-ઠેર ગટરોના પાણી જાહેરમાર્ગ ઉપર આવતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ હાલમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ટિકિટ ફાઇનલ માનીને જીત થાય એ માટેના પ્રયત્નોમાં લાગેલા છે.રઘુભાઇ દેસાઈ ધારાસભ્ય હોવા છતાં શહેરના 40 હજારથી વધુ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના નાગરિકો એવુ કહેતા સાંભળવા મળે છે કે કોંગ્રેસને જીતાડીને મોટી ભૂલ કરી છે, આના કરતાં તો કોઈ સ્થાનિક ઉમેદવાર જીતે તો લોકોની લાગણી તો સમજે.

Continue Reading

પાટણ

કેન્સરગ્રસ્ત પતિની સાથે એક જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્નીની શિક્ષણ વિભાગે બીજે બદલી કરી

Published

on

The wife, who works as a teacher in the same school with her cancer-stricken husband, was replaced by another

પાટણ જિલ્લાના શિક્ષક દંપતીને બદલીના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ન્યાય મળ્યો છે.કોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગે બદલી રદ કરી મૂળ સ્થાન પર પરત મુકવા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છે. આ કિસ્સામાં અરજદાર શિક્ષિકા પાટણ જિલ્લાની ખારાધરવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે તેમના પતિ પણ એજ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. જોકે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી હતી, તેની વચ્ચે શિક્ષિકાની ટ્રાન્સફર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જેને લઇને શિક્ષિકાએ હાઇકોર્ટ સમક્ષ તેમની બદલીના હુકમને પડકાર્યો હતો.

The wife, who works as a teacher in the same school with her cancer-stricken husband, was replaced by another

અરજદાર શિક્ષિકાના વકીલ સુધાંશુ ઝા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે પતિને કેન્સરની બીમારી હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે સાથે રહેવું જરૂરી હતું. જોકે તેમ છતાં તેમની બદલી કરવામાં આવી હતી. અરજદાર શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગે કરેલ બદલીના આદેશને હાઇકોર્ટમાં પડકારતા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2021માં શિક્ષિકાની તરફેણમાં હુકમ કરતા બદલી રદ કરી હતી. શિક્ષણ વિભાગે શિક્ષિકાના પતિના તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહીને તપાસ કરાવી હતી. જેમાં તેમના પતિને કેન્સર હોવાનું ફલિત થયું હતું.

Continue Reading

પાટણ

માત્ર 38 દિવસના બાળકને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન

Published

on

Only 38 day old baby got revival through Pradhan Mantri Jan Arogya Yojana

આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકાર આયોજીત સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે મેળવેલું આયુષ્માન ભારત કાર્ડ અબ્દુલભાઈની વ્હારે આવ્યું છે. દીકરા ઉસામાની શારિરીક સમસ્યાના નિવારણ માટે શરૂઆતમાં અબ્દુલભાઈએ પાટણ શહેરના સ્થાનિક પીડિયાટ્રીશિયન પાસે સારવાર કરાવી હતી. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પરથી ડૉક્ટરે ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. જોકે સારવારનો ખર્ચ કરવા અસમર્થ અબ્દુલભાઈએ બાલીસણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરનો સંપર્ક કરતાં તેમણે ઉસામાનો કેસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઑફિસરને રિફર કર્યો હતો.

Only 38 day old baby got revival through Pradhan Mantri Jan Arogya Yojana

38 દિવસના બાળક ઉસામાને અમદાવાદની જયદિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે નિષ્ણાંત તબીબો દ્વારા તેનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઉસામાને મેડિકલ ટર્મમાં કન્ઝનાઈટલ હાઈપરટ્રોફિક પાઈલોરીક સ્ટેનોસીસ તરીકે ઓળખાતી શારિરીક સમસ્યા હતી, જેમાં જઠર અને આંતરડાને જોડતો ભાગ સાંકડો હોય છે. આ જન્મજાત તકલીફના કારણે નવજાત બાળક તેના પોષણના એકમાત્ર સહારા સમાન માતાનું ધાવણ ગણતરીની મિનિટોમાં વોમિટીંગ કરી બહાર કાઢી નાંખતું હતું. જોકે આધુનિક સુવિધાઓથીયુક્ત ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ હાલ ઉસામા સ્વસ્થ છે. બાળકના ઑપરેશન ઉપરાંત હોસ્પિટલમાં રહેવાનો તથા ઘરે પાછા જવા ભાડા સહિતનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

Continue Reading
Uncategorized24 mins ago

સરકારે આ બેંકને માગ્યા વિના આપ્યા 8800 કરોડ, સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટમાં થયો ખુલાસો

Uncategorized34 mins ago

સૂતી વખતે આ 7 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ બદલો

Uncategorized2 hours ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized2 hours ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized2 hours ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized18 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized18 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized18 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Trending