Connect with us

પાટણ

પાટણના ખાટકીવાડાનો બનાવ, જીવદયા પ્રેમીઓએ 25 બકરીઓને બચાવી

Published

on

સમગ્ર દેશભરમાં સોમવારે બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. 12 ઓગસ્ટના રોજ દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો આ દિવસને ખાસ ઉત્સાહ સાથે ઉજવે છે. આ દિવસની તૈયારીના ભાગરૂપે ઠેરઠેર બકરા બજાર પણ સજ્જ થઈ ચુકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બજારોમાં બકરાની ઊંચી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. આ તહેવારને મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે બકરી ખુદાને અર્પણ કરવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા બકરી ઈદનો વિરોધ પણ કરવામાં આવે છે. ત્યારે પાટણમાં જીવદયા પ્રેમીઓ દ્વારા 25 જેટલી બકરીઓને બચાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાટણના ખાટકીવાડા વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ દ્વારા દુકાન માલિકોને બકરીની કિંમત ચુકવીને નિર્દોષ જીવોને બચાવી લેવાયા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાટણ

રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ પર ગટરના પાણી રેલાતાં હાલાકી

Published

on

In Radhanpur, on the way to Greenpark from the highway, gutter water was lost

રાધનપુરમાં હાઇવેથી ગ્રીનપાર્ક જવાના માર્ગ ઉપર મહિનાઓથી ગટરના પાણી જાહેર માર્ગ ઉપર આવે છે. લોકો મહામુસીબતે ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે. અવાર-નવાર નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં પાલિકાના કોંગ્રેસની બોડીમાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી.લોકોની માંગ છે કે પાકો રોડ ના બને તો કમસે કમ લોકો ચાલી શકે એટલું કામ તો કરો.રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની જ બોડી સત્તા ઉપર હોવા છતાં શહેરના નાગરિકો આજે અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે.

In Radhanpur, on the way to Greenpark from the highway, gutter water was lost

શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ઠેર-ઠેર ગટરોના પાણી જાહેરમાર્ગ ઉપર આવતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ હાલમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ટિકિટ ફાઇનલ માનીને જીત થાય એ માટેના પ્રયત્નોમાં લાગેલા છે.રઘુભાઇ દેસાઈ ધારાસભ્ય હોવા છતાં શહેરના 40 હજારથી વધુ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના નાગરિકો એવુ કહેતા સાંભળવા મળે છે કે કોંગ્રેસને જીતાડીને મોટી ભૂલ કરી છે, આના કરતાં તો કોઈ સ્થાનિક ઉમેદવાર જીતે તો લોકોની લાગણી તો સમજે.

Continue Reading

પાટણ

કેન્સરગ્રસ્ત પતિની સાથે એક જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્નીની શિક્ષણ વિભાગે બીજે બદલી કરી

Published

on

The wife, who works as a teacher in the same school with her cancer-stricken husband, was replaced by another

પાટણ જિલ્લાના શિક્ષક દંપતીને બદલીના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ન્યાય મળ્યો છે.કોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગે બદલી રદ કરી મૂળ સ્થાન પર પરત મુકવા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છે. આ કિસ્સામાં અરજદાર શિક્ષિકા પાટણ જિલ્લાની ખારાધરવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે તેમના પતિ પણ એજ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. જોકે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી હતી, તેની વચ્ચે શિક્ષિકાની ટ્રાન્સફર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જેને લઇને શિક્ષિકાએ હાઇકોર્ટ સમક્ષ તેમની બદલીના હુકમને પડકાર્યો હતો.

The wife, who works as a teacher in the same school with her cancer-stricken husband, was replaced by another

અરજદાર શિક્ષિકાના વકીલ સુધાંશુ ઝા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે પતિને કેન્સરની બીમારી હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે સાથે રહેવું જરૂરી હતું. જોકે તેમ છતાં તેમની બદલી કરવામાં આવી હતી. અરજદાર શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગે કરેલ બદલીના આદેશને હાઇકોર્ટમાં પડકારતા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2021માં શિક્ષિકાની તરફેણમાં હુકમ કરતા બદલી રદ કરી હતી. શિક્ષણ વિભાગે શિક્ષિકાના પતિના તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહીને તપાસ કરાવી હતી. જેમાં તેમના પતિને કેન્સર હોવાનું ફલિત થયું હતું.

Continue Reading

પાટણ

માત્ર 38 દિવસના બાળકને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન

Published

on

Only 38 day old baby got revival through Pradhan Mantri Jan Arogya Yojana

આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકાર આયોજીત સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે મેળવેલું આયુષ્માન ભારત કાર્ડ અબ્દુલભાઈની વ્હારે આવ્યું છે. દીકરા ઉસામાની શારિરીક સમસ્યાના નિવારણ માટે શરૂઆતમાં અબ્દુલભાઈએ પાટણ શહેરના સ્થાનિક પીડિયાટ્રીશિયન પાસે સારવાર કરાવી હતી. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પરથી ડૉક્ટરે ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. જોકે સારવારનો ખર્ચ કરવા અસમર્થ અબ્દુલભાઈએ બાલીસણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરનો સંપર્ક કરતાં તેમણે ઉસામાનો કેસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઑફિસરને રિફર કર્યો હતો.

Only 38 day old baby got revival through Pradhan Mantri Jan Arogya Yojana

38 દિવસના બાળક ઉસામાને અમદાવાદની જયદિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે નિષ્ણાંત તબીબો દ્વારા તેનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઉસામાને મેડિકલ ટર્મમાં કન્ઝનાઈટલ હાઈપરટ્રોફિક પાઈલોરીક સ્ટેનોસીસ તરીકે ઓળખાતી શારિરીક સમસ્યા હતી, જેમાં જઠર અને આંતરડાને જોડતો ભાગ સાંકડો હોય છે. આ જન્મજાત તકલીફના કારણે નવજાત બાળક તેના પોષણના એકમાત્ર સહારા સમાન માતાનું ધાવણ ગણતરીની મિનિટોમાં વોમિટીંગ કરી બહાર કાઢી નાંખતું હતું. જોકે આધુનિક સુવિધાઓથીયુક્ત ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ હાલ ઉસામા સ્વસ્થ છે. બાળકના ઑપરેશન ઉપરાંત હોસ્પિટલમાં રહેવાનો તથા ઘરે પાછા જવા ભાડા સહિતનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

Continue Reading
Uncategorized7 mins ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ47 mins ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ51 mins ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ54 mins ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized1 hour ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ1 hour ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized1 hour ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ1 hour ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending