વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે.
ત્યારે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પાટણ જિલ્લા પંચાયતમાં આઈ.ડી.એસ.પી શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ પટેલે પણ 25 વર્ષ સુધી તમાકુનું સેવન કર્યું હતું. પરંતુ સ્ટાફ મિત્રોએ રાકેશભાઈને વિનંતી કરતા રાકેશભાઈએ તમાકુ છોડી દઈ યુવાનોને પણ તમાકુ છોડી તંદુરસ્ત જીવન જીવવા અપીલ કરી હતી.