વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશના તમામ નેતા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. પીએમ મોદીના રાજકીય વિરોધી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીના જન્મદિવસના અવસરે ભાજપે 20 દિવસના રાષ્ટ્રવ્યાપી અભિયાનની યોજના બનાવી છે, જે આજથી શરૂ થશે અને 7 ઓક્ટોબરે પૂર્ણ થશે. ત્યાં કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે મનાવી રહ્યા છે. ભાજપના 20 દિવસના આ અભિયાનની પાછળ એ કારણ છે કે આજથી 20 દિવસ બાદ એટલે કે 7 ઓક્ટોબરે 20 વર્ષ પહેલા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ જોતા ભાજપે આ અભિયાનને 7 ઓક્ટોબર સુધી ચલાવવાનો નિર્ણય લીધો. ભાજપે આ માટે ચાર સદસ્યની સમિતિ બનાવી જે પાર્ટી કાર્યકર્તાઓ માટે કાર્યક્રમ આયોજિત કરશે. આ સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય કરી રહ્યા છે. રક્તદાન શિબિર, PM મોદીના જીવન પર પ્રદર્શન જેવા કાર્યક્રમ આ અભિયાન હેઠળ આયોજન કરવામાં આવશે. સાથે જ પાર્ટીના તમામ કાર્યાલયથી લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ પીએમ મોદીને મોકલવામાં આવશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શુભકામના આપી હતી.
ભારત-વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધીએ આપી શુભકામના
Leave a comment
Leave a comment