સમસ્ત મોટીમારડ આયોજીત વરુણ દિવને રીઝવવા માટે વિષ્ણુ યાગ યજ્ઞનુ આયોજન કરવામા આવ્યું હતું. આ યજ્ઞ અખંડ 24 કલાક સુધી ચાલ્યો હતો. જેમા બ્રાહ્મણોએ મોટાના પાણી ટોપમા બેસી અને આહુતિ આવી ધરુણ દેવને રીજાવવા માટે અનોખી રીતે ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવી રહયુ છે આ ધાર્મિક કાર્યનોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમા વરુણ દેવ મનમુકી વરસી રહયા નથી જેથી વરુણ દેવને રીજાવવા માટે અનોખી રીતે પ્રયાસ કરવામા આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ગુજરાતમા અમુક જગ્યાએ વરસાદની મહેર જોવા મળેલ અને ઘણી જગ્યાએ વરસાદ મનમુકીને વરસ્યા નથી જેથી વરસાદની અછતને કારણે લોકોમા ચિંતા વધી રહી છે. અને ખેડૂતોના તમામ પાકમા નુકસાન જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા છે.
એવા સમયે ધોરાજીના મોટીમારડ સમસ્ત ગામ ભગવાનના શરણે આવ્યા છે. ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વરુણ દેવ રીઝ્યા નથી અને ત્યારે વરુણ દેવને રીઝવવા માટે સમસ્ત મોટી મારડ ગામના લોકોએ વરુણ દેવને રોઝ્વવા માટે ૨૪ કલાકના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાહણો પાણી ભરેલા વાસણમાં બેસી હવાનમાં આહુતિઓ આપી હતી.
રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ
Leave a comment
Leave a comment