ચોટીલા તાલુકાનાં કોળી સમાજનાં આગેવાન, ભાજપ તાલુકા પ્રમુખ વિરજીભાઈ જાદવભાઇ પરાલિયા તેમના પુત્ર તા. પં. ઉપ પ્રમુખ તરીકે ચૂટાઇ આવતા ગુરૂવારનાં બહાર ગયેલ હતા જેઓ રાત્રીનાં બાઇક ઉપર રેશમિયા ગામે તેમના ઘર તરફ જતા 1 કીમી દુર રસ્તા પર અકસ્માત થયેલ હાલતમાં રોડ ઉપર પડેલ જે અંગે મૃત્યુ શંકાસ્પદ થયું હોય તેની તપાસ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવા આવ્યું. આ બનાવમાં જેતપુર તાલુકાના તમામ કોળી સમાજનું કહેવાનું થાય કે આ બનાવમાં મર્ડર થયેલ છે
આ બનાવને લગતી જે ખુનની લગતી કાર્યવાહી સંપૂર્ણ તટસ્થ તપાસ કરી સત્ય હકીકત બહાર આવે એવી લાગણી છે. સાથે જેતપુર તાલુકાનાં માંધાતા ગ્રુપ તથા કોળી સમાજનાં લોકોની એવી ઉગ્ર લાગણી સાથે માંગણી છે કે આ તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપવામાં આ દરમીયાન જો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાત કોળી સમાજ ઉગ્ર લાગણી સાથે આંદોલન કરશે આ આ સંદર્ભે જેતપુર મામલતદાર સાહેબશ્રીને આવેદન આપી અને કાર્યવાહી કરવા માંગ કરી હતી