રાજકોટ જીલ્લાના ઉપલેટામા ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી જૈન જાગૃતિ સંસ્થા 10 વર્ષ પુર્ણ કરી 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી હોય ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે જૈનજાગૃતિ સંસ્થા દ્વારા વિનામૂલ્યે મીઠાઇ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા ગરીબ લોકોને વિનામૂલ્યે મીઠાઈ તેમજ ફરસાણનું 200 જેટલા ગરીબ લોકોને પેકેટો આપવામાં આવ્યા હતા અને આવાજ દરેક વર્ષે જૈનજાગૃતિ સંસ્થા દ્રારા અનેક કાર્યક્રમ યોજવામાં આવતા હોયછે જેવા શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં ઠંડી છાશનું વિતરણ, અને ઠંડાપાણી ના કેરબા દરેક જાહેર ચોકમા મુકવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવે છે