ઉત્તર પ્રદેશ હાથરસ ગામની દલિત યુવતી સાથે દુષ્કર્મ બાદ દલિત યુવતીના મોત પગેલે અને યુપી પોલીસ દ્વારા રાતના સમયે અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. અને પરિવારના લોકોને દૂર રખાયા જેથી સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો છે. જેના અનુસંધાને ઇડરના વાલ્મિકી સમાજના લોકો દ્વારા ઇડર ટાવર ચોકથી યુવતીના હત્યારાને ફાંસી આપોના બેનરો સાથે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં વાલ્મિકી સમાજના યુવાનો જોડાયા હતા અને એપોલો ત્રણ રસ્તા પર ભાજપ-કોંગ્રસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. વાલ્મિકી સમાજના યુવાનો એ ઇડર ત્રણ રસ્તા પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર કરી બે મિનિટ દલિત સમાજની યુવતીના મોતને લઈ મૌન પાળીને શ્રધાંજલિ આપી હતી.