રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના વોર્ડનં 7 ના રહીશોએ સાફસફાઈ ના મુદે આજે રેલી કાઢી નગરપાલિકા ખાતે ચીફ ઓફીસરને આપ્યુ આવેદન પત્ર પાઠવ્યું હતું.
મળતી માહિતી મુજબ જેતપુર વોર્ડનં 7 ના રહીશોએ કેટલાય સમયથી સફાઈ મુદ્દે રહીશો નારાજ છે. ત્યારે આજરોજ સાફસફાઈ ના મુદે રેલી કાઢી નગરપાલિકા ખાતે પહોચ્યા હતા અને ચીફ ઓફીસરને આપ્યુ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે વોર્ડનં 7માં કાયમી સફાય થતી નથી તેમજ પાણી ફોર્સ ઓછો આવે છે જેને લઈને આજરોજ રેલી કાઢી હતી
રેલીમાં મોટી સંખ્યામાં મહીલાઓ તેમજ પુરૂષો જોડાયા હતા.. તેમજ વોર્ડનં 7ના ચુટાયેલા સદસ્યના ઘરે રેલી પોહચી સદસ્યો પાસે આ અંગે જવાબ પણ માંગ્યો હતો… અને આગામી સમયમા આ પ્રશ્નો હલ કરવામા નહી આવે તો ઉગ્ર આદોલન કરવાનની ચીમકી આપી હતી.