19 મેના રોજ સાબરકાંઠાના રવોલ ગામે દલિત રોહિત પરમારના પુત્રનો લગ્નનો વરઘોડો નિકળ્યો હતોવરઘોડાનો વિરોધ અને પથ્થરમારો થયો. જે અંતર્ગત પોલીસે સાત લોકોની ધરપકડ કરી.આ ઘટનાને પગલે ગામના સવર્ણ સમાજના લોકો દ્વારા દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના રવોલ ગામમાં વરઘોડા મામલે દલિતો અને સવર્ણો વચ્ચે વિખવાદ થયો અને મતભેદ એવો વધ્યો કે સવર્ણોએ ગામના દલિતોનો બહિષ્કાર કરી દીધોવરઘોડો કાઢવાના મામલે થયેલા ઝઘડા એ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે હવે દલિતોને દૂકાન માંથી અનાજ-કરિયાણું પણ મળતું નથી અને બહારગામ મજૂરીએ જવા માટે વાહન પણ મળતું નથી. ઘટનાની પૂર્વભૂમિકા એવી છે કે રવોલ ગામમાં 19 મેના રોજ એક દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો હતો અને તેના પર પથ્થરમારો થય…