વિશ્ર્વ ને કરુણા,શાંતિ, મૈત્રી નો સંદેશ આપનાર તથાગત ભગવાન બુદ્ધ ની 2566 મી જન્મ જયંતી પ્રસંગે કરુણાશાતિ બુદ્ધવિહાર કોસાડ ખાતે ધમ્મ વંદના, સન્માન સમારંભ, ખીરદાન કાર્યક્રમ યોજાયો ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરતશહેર ઉત્રાણ અમરોલી,કોસાડ આવાસ વરીયાવ વિભાગ દ્વારા વિશ્ર્વ ને દુઃખ માંથી મુક્તિ ના માર્ગ દાતા કરુણા,મૈત્રી,ભાઇચારા નો સંદેશ તથાગત ભગવાન બુદ્ધ ની 2566 મી જન્મ જયંતી ઉજવણી ના ભાગરુપે કરુણાશાતિ મહા બુદ્ધ વિહારકોસાડ ખાતે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ ના અગ્રણી માન આર કે સોનવણે ના અધ્યક્ષસ્થાને ગુજરાત લધુમતી બોર્ડમાજી સદસ્ય સરપંચ બોધ્ધ સમાજ અગ્રણી માન આપ્પાસાહેબ કાશીનાથ સીરસાઠ,ઉત્રાણ માજી સરપંચ માન અભેસિંહ બારડની ઉપસ્થિત માં પૂજનીય ભન્તે ધમ્મ રક્ષિત ની ઉપસ્થિત માં ધમ્મ વંદના,ધમ્મ પ્રવચન, સન્માન સમારંભ, ખીરદાન કાર્યક્રમ થોજાયો હતો જેમા ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવેલ કે વેશાખી પુનમ મહત્વ એટલા માટે છે,
આજના પ્રવિત્રદિને તથાગત બુદ્ધ નો જન્મ થયો તે જ દિવસે સિદ્ધાર્થ ગોતમ માંથી બુદ્ધ થયા એ જ દિવસે નિવાઁણ થયાભગવાન બુદ્ધ એ માનવતાવાદી બુદ્ધ ધમ્મ નો સંપુણ વિશ્ર્વ માનવ કલ્યાણ માટે પ્રચાર પ્રસાર કયો હતો,આજે વિશ્ર્વ નેયુદ્ધ ની નહી પરંતુ બુદ્ધ ની જરૂરિયાત છે,માટે ભગવાન બુદ્ધ આપેલા સુત્ર,સ્વયંમ પ્રકાશીત થાવો,જીવન માં ઉતારવા અનુરોધકયો હતો,આ પ્રસંગે ઉત્રાણ ગામ ના સેવાભાવી માજી સરપંચ માન અભેસિંહ બારડ ના 83 માં જન્મદિન નિમિતે તેમણુસન્માન ,શાલ પુષ્પગુચ્છ આપી સન્માનિત કયા હતા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર ના અગ્રણી માનનાગમલ પ્રભાકર, દિલીપ કે,સીરસાઠ ,અનિલ પાનપાટીલ, ઉદ્ધવ પી,બાગલે,પ્રફુલ જગદેવ, સુરેશ કાપડણે ,વિજયમોરે,રીન્કુભાઇ જોષી,સુરેશ આખાડે,શશીકાંત કાપુરે,ઝોવિદ એન કુંવર, રાધેશ્યામ ગોતમ, મનોહર ઠીવરે,અન્ય ઉપાસ્સક,ઉપાસીકા,ઉપસ્થિત રહી,બુદ્ધમ શરણંમ ગચ્છામી,ધમ્મ શરણંમ ગચ્છામી,સંધમ શરણમ ગંચ્છામી,બુદ્ધ ધમ્મ કઈ કયા પહચાન માનવ માનવ એક સમાન સુત્રોચાર સાથે કાર્યક્રમ સપાપન થયો હતો