સુરતના ભેસ્તાન આવાસના C બ્લોકમાં માનસિક બીમારીથી પીડાતી મહિલાએ ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. સુરતના ભેસ્તાન આવાસ માંના C-બ્લોકમાં રેહતી મહિલા છેલ્લા કેટલાક વર્ષથી માનસિક બીમારીથી પડાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ઘરની છત પર ચડી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ બાદ સ્થાનિકોના તોડેતોડા ભેગા થઈ ગયા બાદ કોઈ જાગૃત ઇસમે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાની જરૂરી કાર્યવાહી કરી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસના C બ્લોકમાં રેહતી મહિલા માનસિક બીમારીથી પીડાઈ રહી હતી.
જેના લગ્નજીવનમાં ચાર બાળકો થયા હતા. જેમાં બે છોકરા અને બે છોકરી હતી. મહિલાની માનસિક બીમારીની દવા છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવી હતી. ગઈકાલે સાંજના સુમારે પોતાની બિલ્ડીંગના ટેરેસ પર મોતની છલાંગ લગાવી મોત વહાલી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
સુરત- માનસિક બીમારીથી પીડાતી મહિલાએ મોતની છલાંગ લગાવી
Leave a comment
Leave a comment