સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આમ આદમી પાર્ટી સુરત શહેરમાં સક્રિય છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે કામ કરતી દેખાઈ રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે, હાઈવે, એરપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ખાનગીકરણ કરવાના નિર્ણયને લઈને હવે આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. સુરત શહેરના સરથાણા, હીરાબાગ સર્કલ, વરાછા યોગીચોક જેવા વિસ્તારોમાં બેનર લગાવીને વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાતે બેનરો લગાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે અને જાગૃતિપૂર્વક આ મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સક્રિય રીતે બેનરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખાનગીકરણને કારણે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓના ભાવિ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. તેમજ રેલવે અને એરપોર્ટ જેવા પ્રજા માટે ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટેના સૌથી મહત્વના ટ્રાન્સપોર્ટેશન પૈકીના એક છે. રોજના લાખો લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પ્રાઈવેટ સેક્ટરોના હાથમાં આ પ્રકારની સેવાઓ જતા લોકોને શંકા ઊભી થાય છે કે નજીવી સુવિધાના નામે વધુ રૂપિયા ખંખેરી લેવામાં આવશે. ખાનગીકરણને લઈને દેશભરમાં હંમેશા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહેતો હોય છે.
સુરત : સરકારના ખાનગી કરણના નિર્ણયનો વિરોધ કરતુ આપ
Leave a comment
Leave a comment