Connect with us

સાબરકાંઠા

હિમંતનગરમાં અજગરોનો આતંક

Published

on

હિમંતનગરમાં અજગર દેખાવો હવે સાધારણ બાબત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ નવાગામ પાસેથી 8 ફૂટનો અજગર ઝડપાયો છે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અજગર ખેડૂતના ખેતરમાં જોવા મળ્યો હતો. ખેડૂતના ખેતરમાં 8 ફૂટનો અજગર નીકળતા જીવદયા પ્રેમીને જાન્કારવામાં આવી હતી. જાણ કરવાના થોડ્દક સમયમાં તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી. થોડા સમયની ઝહેમત બાદ જીવદયા પ્રેમીઓએ અજગરને પકડી પાડવામાં કામયાબ થયા હતા. અને જંગલમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીઉ છે કે થોડા દિવસ પહેલા જ હિંમતનગર તાલુકાના ધનપુરા ગામની સીમમાં પણ એક મહાકાય અજગર પકડાયો હતો. રોડ પર આવેલા બા પાસેના ખેતરમાં 10 ફૂટ જેટલા લાંબા અજગર વીંટળાયેલી હાલતમાં દેખા દેતાં ગ્રામજનોને જાણ કરતાં દોડધામ મચી ગઇ હતી. જાગૃત નાગરિકે જીવદયા પ્રેમીઓનો જાણ કરતાં કરણપુર ગામના કૌશિકભાઇ પટેલ આવી અને અજગરને ઝડપી પાડી જંગલમાં સલામત સ્થળે છોડી મુકયો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સાબરકાંઠા

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Published

on

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ  પંચાયતને  સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10%  જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ- રીક્ષા(બેટરીવાળી)  આપવામાં આવી.

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

માનનીય વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા આજરોજ તખતગઢ ગ્રામપંચાયત ડોર ટુ ડોર ઇ – રિક્ષા નું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક શ્રી જયશંકર લાલજી વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યું  જેમાં સરપંચ શ્રી નિશાંત પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત પટેલ  મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર માન્યો હતો.

Continue Reading

સાબરકાંઠા

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Published

on

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે ૨૯ માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦૦ થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને  પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

હાલના સમયમાં માતાપિતા ને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતો ની નિશ્રામાં સત્સંગ યોજાય છે જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતા નું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામ માં અનન્ય સફળતા મળશે. આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતા ને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.

Continue Reading

સાબરકાંઠા

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

Published

on

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
પ્રાંતિજ ના ગલેચી વિસ્તાર મા આવેલ બસસ્ટેશન મા વહેલી સવારે એક યુવાન મૃત હાલત મા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવક ની ઓળખ ના થતા આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ના પતિ મહેશભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાઈ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ માનસિંહ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપી હતી અને તેના વાલીવારસ દાર ની શોધખોળ હાથ ધરવામા આવી હતી
Two persons were found dead near Prantij and Vadvasa Patiya
જેમા મૃતક યુવક પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ટેકરા વિસ્તાર નો ટીનુસિંહ અનુપસિંહ રાઠોડ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જાણ મા મલ્યુ હતુ તો પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી મૃત હાલત મા મળી આવેલ આધેડ ની ઓળખ થઈ નહતી પણ આજુબાજુ હોટલો તથા રોજીદુ અવરજવર કરતા લોકોએ પાગલ હોવાનુ જણાવ્યુ હતુ અને થોડાક દિવસો થી અહી અવરનવર કરતો હતો અને હિન્દી ભાષા બોલતો હતો જેથી બહાર ના રાજય નો હોય તેનુ પણ પ્રાથમિક તપાસ મા કુદરતી રીતે મોત નિપજયુ હોવાનુ જાણવા મલ્યુ હતુ

Continue Reading
Uncategorized1 hour ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized2 hours ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized16 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized16 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized16 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized16 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized17 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized17 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized4 weeks ago

SC આજે ‘ધનુષ અને તીર’ પ્રતીક પર ECના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેની અરજી પર કરશે સુનાવણી

Trending