હિમંતનગરમાં અજગર દેખાવો હવે સાધારણ બાબત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ નવાગામ પાસેથી 8 ફૂટનો અજગર ઝડપાયો છે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અજગર ખેડૂતના ખેતરમાં જોવા મળ્યો હતો. ખેડૂતના ખેતરમાં 8 ફૂટનો અજગર નીકળતા જીવદયા પ્રેમીને જાન્કારવામાં આવી હતી. જાણ કરવાના થોડ્દક સમયમાં તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી. થોડા સમયની ઝહેમત બાદ જીવદયા પ્રેમીઓએ અજગરને પકડી પાડવામાં કામયાબ થયા હતા. અને જંગલમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીઉ છે કે થોડા દિવસ પહેલા જ હિંમતનગર તાલુકાના ધનપુરા ગામની સીમમાં પણ એક મહાકાય અજગર પકડાયો હતો. રોડ પર આવેલા બા પાસેના ખેતરમાં 10 ફૂટ જેટલા લાંબા અજગર વીંટળાયેલી હાલતમાં દેખા દેતાં ગ્રામજનોને જાણ કરતાં દોડધામ મચી ગઇ હતી. જાગૃત નાગરિકે જીવદયા પ્રેમીઓનો જાણ કરતાં કરણપુર ગામના કૌશિકભાઇ પટેલ આવી અને અજગરને ઝડપી પાડી જંગલમાં સલામત સ્થળે છોડી મુકયો હતો.
હિમંતનગરમાં અજગરોનો આતંક
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment