પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલૂકાના રસુલપુર ગામની પરણિતાની લાશ પાનમ નદીમાથી મળતા ચકચાર મચી ગયો છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા સંતરોડ પાસેથી પસાર થતી પાનમનદીમાંથી રસૂલપુરની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોચી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને અનેક તર્કવિર્તકો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર મોરડુંગરાના રેખા બેન પ્રતાપ ભાઈના લગ્ન મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે તેના લગ્નસામાજિક રીતરિવાજ પ્રમાણે અંદાજે છ સાત વર્ષ અગાઉ તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.
તેમની લાશ પાનમ નદીમાં સંતરોડ બ્રિજ નીચે એક મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર ફાઈટર ના જવાનોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં. જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા એ તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે
પંચમહાલ-પરણિતાની લાશ પાનમ નદીમાથી મળી
Leave a comment
Leave a comment