રાજ્યમાં એકબાજુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને ચોરી, લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વાવમાં મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વાવ સ્થિત શ્રી ઠાકર કોમ્પલેક્સમાં આવેલ બે દુકાનોના તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સો 2 મોબાઈલની દુકાનોના તાળા તોડી મોબાઈલ સહિત અન્ય સાધન સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ દુકાન માલિકોને ત્યારે થઈ જ્યારે વહેલી સવારે તેઓ દુકાને પહોંચ્યા. શિવ મોબાઈલ અને નાગણેશ્વરી મોબાઈલમાં ચોરી થઈ હતી. આ દુકાન માલિકો દ્વારા ચોરીની ઘટના અંગે વાવ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી ફરાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.