Connect with us

સાબરકાંઠા

શિક્ષકે પ્રકૃતિ જતન માટે નવો ચીલો ચાતર્યો

Published

on

હિંમતનગર રહેતા શિક્ષક દ્વારા પ્રકૃતિની ચિંતા સાથે માતાના નિધન બાદ યોજાયેલ બેસણામાં 450 જેટલા રોપાનું પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં વિતરણ કરાયું હતું. હિંમતનગર શહેરના બ્રહ્માણીનગરમાં રહેતા અને વકતાપુર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશભાઈ રાવલના માતા ચંપાબેન કાન્તિલાલ રાવલનું 80 વર્ષની વયે નિધન થયા બાદ સોમવારે બેસણું રાખવામાં આવ્યું હતું. યોગેશભાઇએ જણાવ્યું કે અત્યારથી નહીં જાગીએ તો આવનારી પેઢી માફ નહીં કરે વૃક્ષ વાવવા રોપા લેવા માટે નર્સરી સુધી જવાનો કોઈની પાસે સમય નથી. પક્ષીઓ માટે માળા બાંધવાનું સ્થાન પણ ન રહેતા પક્ષીઓના અસ્તિત્વ સામે પણ સંકટ તોળાઈ રહ્યું છે. જેના કારણે બેસણામાં આવનાર વ્યક્તિઓને રોપા આપવાનું નક્કી કરી લીમડો, આસોપાલવ, સપ્તપર્ણી બોરસલ્લી, સેવન જેવા ઘટાદાર છાંયડો આપે તેવા વૃક્ષના રોપા અને ચીકુ, દાડમ, લીંબુ, જાંબુ, જામફળ જેવા ફળાઉ ઝાડના 450 જેટલા રોપા દરેકને આપ્યા હતા અને પ્લાસ્ટિકની કોથળી દૂર કરી કાગળની બેગમાં રોપા આપવાની તકેદારી રાખી હતી. સામાન્ય રીતે આવા પ્રસંગોએ ધાર્મિક પુસ્તકો, પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ રોપા આપીને શિક્ષકે પ્રકૃતિ જતન માટે નવો ચીલો ચાતર્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સાબરકાંઠા

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Published

on

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ  પંચાયતને  સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10%  જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ- રીક્ષા(બેટરીવાળી)  આપવામાં આવી.

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

માનનીય વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા આજરોજ તખતગઢ ગ્રામપંચાયત ડોર ટુ ડોર ઇ – રિક્ષા નું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક શ્રી જયશંકર લાલજી વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યું  જેમાં સરપંચ શ્રી નિશાંત પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત પટેલ  મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર માન્યો હતો.

Continue Reading

સાબરકાંઠા

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Published

on

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે ૨૯ માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦૦ થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને  પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

હાલના સમયમાં માતાપિતા ને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતો ની નિશ્રામાં સત્સંગ યોજાય છે જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતા નું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામ માં અનન્ય સફળતા મળશે. આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતા ને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.

Continue Reading

સાબરકાંઠા

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

Published

on

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
પ્રાંતિજ ના ગલેચી વિસ્તાર મા આવેલ બસસ્ટેશન મા વહેલી સવારે એક યુવાન મૃત હાલત મા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવક ની ઓળખ ના થતા આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ના પતિ મહેશભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાઈ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ માનસિંહ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપી હતી અને તેના વાલીવારસ દાર ની શોધખોળ હાથ ધરવામા આવી હતી
Two persons were found dead near Prantij and Vadvasa Patiya
જેમા મૃતક યુવક પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ટેકરા વિસ્તાર નો ટીનુસિંહ અનુપસિંહ રાઠોડ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જાણ મા મલ્યુ હતુ તો પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી મૃત હાલત મા મળી આવેલ આધેડ ની ઓળખ થઈ નહતી પણ આજુબાજુ હોટલો તથા રોજીદુ અવરજવર કરતા લોકોએ પાગલ હોવાનુ જણાવ્યુ હતુ અને થોડાક દિવસો થી અહી અવરનવર કરતો હતો અને હિન્દી ભાષા બોલતો હતો જેથી બહાર ના રાજય નો હોય તેનુ પણ પ્રાથમિક તપાસ મા કુદરતી રીતે મોત નિપજયુ હોવાનુ જાણવા મલ્યુ હતુ

Continue Reading
Uncategorized16 mins ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized33 mins ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized44 mins ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized16 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized17 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized17 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized17 hours ago

ગૂગલ મેપ્સમાં યુઝર્સ માટે ઉમેરાયેલું આ નવું ફીચર તમારા માટે ઉપયોગી થશે

Uncategorized17 hours ago

સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે 6 મહિનામાં નિર્ણય કરોઃ કર્ણાટક હાઈકોર્ટ

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Uncategorized4 weeks ago

કર્ણાટકમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; છેલ્લા 2 મહિનામાં આવી ચોથી ઘટના

Trending