રાજ્યમાં ભારે વરસાદમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ વધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે દરિયામાં ગયેલ માછીમારોને દરિયામાંથી પાછા ફરવા સુચના આપવામાં આવી છે. ત્યારે ઘણી બોટો પરત ફરી ચુકી છે. ત્યારે જાફરાબાદની 2 બોટ ટેકનિકલ ખામી સર્જાતા દરિયામાં બંધ થઈ છે. જાફરાબાદના દરિયામાં 62 નોટીકલ માઇલ દુર બંધ થતાં 16 ખલાસી મહા મુસીબતમાં ફસાયા છે.
ખલાસીઓને બચાવવા માટે કોળીસમાજના બોટ એસોસિયેશન પ્રમુખ હમીરભાઇ સોલંકી દ્વારા નવી કોસ્ટ ગાર્ડ અને મરીન વિભાગને ટેલિફોનીક જાણ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે બંને બોટમાં સવાર ૧૬ ખલાસીઓને બચાવી લેવા જાણ કરાઈ છે. હાલ મળતી માહિતી મુજબ બંને બોટમાં પાણી ભરાઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે.
અમરેલી-જાફરાબાદની બે બોટ દરિયામાં ફસાઈ
Leave a comment
Leave a comment