સુરત મહાનગર પાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીના 152માં જન્મોત્સવના અવસરે શહેરભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પુણા ખાતે આવેલી બે સોસાયટીઓના રહેવાસીઓએ પારાવાર ગંદકી અને મચ્છરોજન્ય રોગને નોતરું આપતી ખાડીની સફાઈ અભિયાન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ખાડીની સફાઈના અભાવે સ્થાનિકોની હાલત કફોડી થવા પામી છે.
જેને પગલે આજરોજ સોસાયટીના રહેવાસીઓ દ્વારા રાજકીય પક્ષોના પ્રવેશ નિષેધની ચેતવણી સાથેના બેનરો લગાવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલ હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડીની સફાઈ મુદ્દે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. પારાવાર ગંદકી અને મચ્છરોના અસહ્ય ત્રાસને લીધે આ વિસ્તારમાં ઝાડા – ઉલ્ટી સહિતનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે સ્થાનિકોએ શાસકો વિરૂદ્ધ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મારા ફોટોસેશન માટે આવતા કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારમાં સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ધરાર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ખાડી પ્રશ્ન સંદર્ભે છાશવારે વહીવટી તંત્ર અને શાસકો સમક્ષ રજુઆત કરવા છતાં આ મુદ્દે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી કંટાળીના સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે મેઈન ગેટ પર બેનરો લગાવીને કોઈપણ રાજકીય પક્ષના નેતા – કાર્યકરને પ્રવેશ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.
સુરત-ગંદકીને લઈ સ્થાનિકોનો અનોખો વિરોધ
Leave a comment
Leave a comment