વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાળા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કરજણ તાલુકાના પિંગલવાડા ગામના યતીનભાઈ રોહિત નામના યુવાનનો મૃતદેહ ઢાઢર નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક યુવાનની અંદાજીત 30 થી 40 વર્ષ ની ઉંમરનો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. યુવાનનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જવા પામ્યા હતા.
મળતી માહિતી અનુસાર યતીનભાઈ રાત્રીના 10 વાગ્યાંના સુમારે પ્રેમિકા મિત્તલ બેન દેવેન્દ્ર વસાવાને મળવા જતા કાવતરું ઘડતા મિત્તલ બેન વસાવાના ભાઈ સતિષભાઈ વિનોદભાઈ વસાવા, તેમજ મિત્તલ બેનના પતિ દેવેન્દ્ર ભાઈ વસાવા, મિત્તલ બેનના દિયર અતુલભાઈ ધનજીભાઈ વસાવા, તથા મિત્તલ બેનના ભાઇના મિત્ર દીપકભાઈ ઉદેસંગ ભાઈ વસાવા સાથે મળી મેળાપણાનું કાવતરું યોજી મારી નાખવાના ઇરાદે કરજણ નવાબજાર વિસ્તારમા આવેલી સોના નગર સોસાયટી મકાન નં. A/99 મા યતીન ભાઈને ચારેય આરોપીએ માથાના ભાગે તેમજ મોઢાના ભાગે સખત હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યતીનભાઈના મૃતદેહને સગેવગે કરવા ચારેય આરોપી ભેગા મળી પિંગળવાડાની ઢાઢર નદીમા મૃતદેહ ફેંકી દીધો હતો. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે જઈ મૃતદેહની શોધખોળ આદરી હતી. ત્યારે આ મૃતદેહ મળી આવતા P. M. માટે કરજણ સામુહિક દવાખાને ખસેડી હતી. પોલીસે ચારેય આરોપીને શંકાના આધારે ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે…