હાલ વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ડભોઇ ખાતે વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ ડભોઇ કોવીડ કેર સેન્ટર વેગા તેમજ નગરમાં ચાલતા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. ડભોઇ તાલુકામાં લોકો વધુમાં વધુ કોરોનાની રશી મુકાવે તે હેતુ સાથે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 11 એપ્રિલથી રસીકરણ ઉત્સવ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
ત્યારે લોકોમાં કોરોનાની રસી લેવા માટે જાગૃતી આવે તે માટે ભાજપના કાર્યકરોને કામે લગાવામાં આવ્યા છે અને લોકોમાં જાગૃતી લાવવા પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે ડભોઇ ખાતે વડોદરા જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન નિલેષભાઈ પુરાણી દ્વારા ડભોઇ વેગા નજીક આવેલ કોવીડ કેર સેન્ટર તેમજ ડભોઇ નગરના દશાલાડ વાડી ખાતે આવેલ રશીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.