સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકીના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ભાવનગરમાં પણ તંત્ર દ્વારા 14 અને 15મી જૂને તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ચક્રવાત 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી હાલ વાવઝોડો 290 કિમી દૂર છે. જેથી આવતીકાલ રાતથી ચક્રવાત વધુ આક્રમક બને તેવી શક્યતા છે. આ ચક્રવાત 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે.
રાજ્યમાં ચક્રવાતની અસરને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે 15 જૂન સુધી ચક્રવાતની અસર રહેશે. આ સિવાય રાજ્યમાં 16 જૂનથી 20 જૂન સુધી વરસાદની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ પડશે.
15 જૂને ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15મી જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલ માટે કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.