ઉર્વશી સોલંકીએ કોરોનાને લઈ શેર કર્યો વિડિયો, કવિતાના માધ્યમથી લોકોને સાવચેત રહેવાની કરી અપીલ

admin
1 Min Read

કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે..ભારતમાં આ વાયરસના કારણે અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.. તો ગુજરાતમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ સ્થિતિ મહારાષ્ટ્રમાં ખરાબ છે. મહારાષ્ટ્રમાં 49 કેસ સામે આવ્યા છે. ત્યારે બોલીવુડ સ્ટાર દ્વારા પણ કોરોના વાયરસને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત બોલીવુડ અને ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ઉર્વશી સોલંકીએ પણ પોતાના પ્રશંસકો અને લોકોને કોરોના વાયરસથી સચેત રહેવા અપીલ કરતો એક વિડિયો જાહેર કર્યો છે. ઉર્વશીએ વિડિયોમાં કવિતા બનાવી કોરોનાથી સચેત રહેવાની સાથે સાથે કેટલાક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો છે…. જુઓ ઉર્વશીનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડિયો….

 

Share This Article