એડવેન્ચર શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં, ‘મેન વર્સેસ વાઇલ્ડ’ના હોસ્ટ બેર ગ્રિલ્સે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને તેના શોમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, વિરાટ અને પ્રિયંકા પહેલા રજનીકાંત, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવી ઘણી ભારતીય સેલિબ્રિટી બેર ગ્રિલ્સના શોમાં જોવા મળી ચૂક્યા છે. આ સિવાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના શોમાં બેર ગ્રિલ્સ સાથે ગેસ્ટ તરીકે ભાગ લઈ ચુક્યા છે.
બેર ગ્રિલ્સે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે આ વિષય પર પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલી સાથે વાતચીત કરી રહ્યો છે. એટલું જ નહીં, તેણે એ પણ કહ્યું કે તે તેના પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા માટે ટૂંક સમયમાં ભારત આવવાનો છે. જોકે, ભારતમાં શૂટ થનારા આ પ્રોજેક્ટમાં પ્રિયંકા કે વિરાટ જોવા મળશે કે કેમ તે અંગે તેણે માહિતી આપી નથી.
બેર ગ્રિલ્સે પ્રિયંકા અને વિરાટના નામ પસંદ કરવાનું કારણ જણાવતા કહ્યું, “પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલી નંબર વન સેલિબ્રિટી છે. બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું છે. પ્રિયંકા અને વિરાટ બંનેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. “લોકોને તે ખૂબ ગમે છે. આવી સ્થિતિમાં, બંનેની વાર્તાઓને સમજવી અને તેમની સફરને જાણવી એ મારા માટે સૌભાગ્યની વાત હશે.
તમને જણાવી દઈએ કે, ડિસ્કવરી પર આવનારો એડવેન્ચર શો ‘મેન વર્સીસ વાઇલ્ડ’ ઘણો લોકપ્રિય છે. બેર ગ્રિલ્સના આ એડવેન્ચર શોને માત્ર વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે બેર ગ્રિલ્સ સમયાંતરે ભારતીય સેલિબ્રિટીઓને તેના શોમાં બોલાવતા રહે છે.