ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 1335 કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જેના કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 5 ઓક્ટોબર સાંજથી 6 ઓક્ટોબર સાંજ સુધીમાં 1335 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં 1335 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,45,362 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1473 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3522 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,25,243 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 281 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 187, વડોદરામાં 126 અને રાજકોટમાં 147 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 34, જામનગરમાં 94, પંચમહાલમાં 24, અમરેલીમાં 33, સુરેન્દ્રનગરમાં 18 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16597 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article