પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની પત્ની સુખપ્રીત કૌરનું અવસાન થયું છે. રોડ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. 2013માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતની હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની પત્ની સુખપ્રીત કૌરનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. રવિવારે સુખપ્રીત કૌર તેની પુત્રી સ્વપ્નદીપને મળવા મોટરસાઈકલ પર તેના પાડોશી સાથે જલંધર જવા માટે અમૃતસર જઈ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, જ્યારે સુખપ્રીત કૌર અમૃતસરના ખઝાના ચોક પર પહોંચી ત્યારે તે પોતાની મોટરસાઈકલ પર પાછળ પડી ગઈ, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ. તેને તાત્કાલિક અમૃતસરની મહાજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હવે સુખપ્રીત કૌરના અંતિમ સંસ્કાર મંગળવારે સવારે 1:00 વાગ્યે ભીખીવિંડના સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.
સરબજીતને પાકિસ્તાનની એક અદાલતે આતંકવાદ અને જાસૂસી માટે દોષિત ઠેરવ્યો હતો અને 1991માં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, 2008માં સરકારે સરબજીતની ફાંસી પર અનિશ્ચિત સમય માટે રોક લગાવી દીધી હતી. આ પછી એપ્રિલ 2013માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતની હત્યા કરવામાં આવી હતી.
આ વર્ષે સરબજીતની બહેનનું અવસાન થયું હતું
જણાવી દઈએ કે સરબજીત સિંહની બહેન દલબીરનું આ વર્ષે 26 જૂનના રોજ અવસાન થયું હતું. તેણે પાકિસ્તાનમાં રહેલા ભાઈને ભારત લાવવા અભિયાન ચલાવ્યું હતું. 60 વર્ષીય દલબીર કૌરના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું.
સરબજીત સિંહની બહેન દલબીર ડિસેમ્બર 2016માં ભાજપમાં જોડાઈ હતી. કૌર 2005માં ભાજપની નજીક આવી હતી જ્યારે તે તેના ભાઈને જેલમાંથી બહાર કાઢવા માટે લડી રહી હતી.
સરબજીત સિંહના જીવન પર બોલિવૂડ ફિલ્મ પણ બની હતી. આ ફિલ્મમાં સરબજીત સિંહનું પાત્ર રણદીપ હુડાએ ભજવ્યું હતું જ્યારે તેની બહેન દલબીર કૌરનું પાત્ર ઐશ્વર્યા રાયે ભજવ્યું હતું.