વડોદરાની મહિલાએ શિવજી પ્રત્યે અદા કરી અનોખી ભક્તિ, મહાશિવરાત્રી નિમિત્તે કવિતા ગાઈ શિવરાત્રિની કરી ઉજવણી

admin
1 Min Read

ભક્તો વિવિધ રીતે પોતાના ભગવાન અને માતાજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરતા હોય છે. જેમ કે કેટલાક લોકો પગપાળા ચાલતા હોય છે તો કેટલાક દંડવત યાત્રા કરતા હોય છે તો કેટલાક તપ અને વ્રત કરીને પોતાની ભક્તિ અદા કરતા હોય છે. ત્યારે આજે શિવરાત્રિ પર્વ નિમિત્તે રાજ્યના વિવિધ ભાગોમાં શિવ મંદિરોમાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શિવજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી હતી. જોકે, વડોદરાની એક મહિલાએ પણ અનોખી રીતે શિવજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી છે.વડોદરાના કિર્તિબેન કવૈયાએ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ એક કવિતા લખી હતી. આ ઉપરાંત તેમણે દશેરા નિમિત્તે તેમજ લોકસભા ચુંટણી અંગે લોકોમાં જાગૃતિ આવે તે સંદર્ભે પણ કવિતા લખી હતી. ત્યારે આવો શિવરાત્રી પર્વ પર તેમણે લખેલી કવિતા તેમના મુખેથી જ સાંભળીએ…

Share This Article