બગલામુખી મંદિરના ગુરૂની પોલીસે ધરપકડ બાદ મેળવ્યા 4 દિવસના રિમાન્ડ, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

admin
2 Min Read

21.80 લાખ રૂપિયાના છેતરાપિંડીના કેસમાં બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ચીખલી નજીક માલવાળા ગામ પાસેથી ધરપકડ કરી છે. વારસિયા પોલીસે તેની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે વડોદરા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પ્રશાંતની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થવાની શક્યતા છે.

હોળી, ધુળેટી જેવા તહેવારોમાં સ્ત્રીઓ કપડા બદલતી હોય તેવા બીભસ્ત રેકોર્ડિંગ કર્યા હોવાથી રેકોર્ડીંગનુ ડીવીઆર તથા અન્ય ઇલેક્ટ્રીક સાધનો કબ્જે કરવા સહિત કેટલાક મહત્વના કારણો રજૂ કરીને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રૂપિયા ૨૧.૮૦ લાખની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની પોલીસે ચિખલી નજીકથી એક રેસ્ટોરન્ટ પરથી ધરપકડ કરી હતી. તેને વડોદરા લાવવામાં આવ્યા બાદ આજે અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી.

ઠગાઇની અરજી પોલીસમાં નોંધાયાની જાણ થઇ જતાં એક મહિના પહેલા જ પ્રશાંત ઉપાધ્યાય પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. તેને શોધવા વારસિયા પોલીસે આકાશ પાતાળ એક કર્યાં હતા. વારસીયા પોલીસની 4 ટીમો તેને શોધી રહી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત કારમાં બેસીને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને વાપી અને ચીખલી વચ્ચે માલવાળા ગામ પાસે હાઇવે પર આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડના પાર્કિંગમાં કાર પાર્ક કર્યા બાદ કારમાંથી નીચે ઉતરીને ઉભો હતો ત્યારે રવિવારે રાત્રે અઢી વાગે વારસિયા પોલીસે તેને ઝડપી લીધો હતો. અને આજે કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પ્રશાંતને સાથે રાખીને તેના ઘર અને મંદિર સહિતના સ્થળોએ તપાસ કરશે

 

 

Share This Article