દાહોદમાં પશુઓનો અકસ્માત સર્જાયો , ૪ ગાયોનું ઘટના સ્થળે મોત નીપજ્યું

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ કોરોના વાયરસનાં પગલે ઘણા સમયથી દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે લોકડાઉનમાં મૂંગા પશુઓ બહાર ખુલ્લા ફરતા તેમના જીવ જોખમે મુકાયા છે. તેવામાં દાહોદમાં મૂંગા પશુઓનું અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં ઇન્દોર હાઈવે પુંસરી ગામ નજીક અજાણ્યા વાહનચાલક દ્વારા ૬ જેટલા પશુઓનું અકસ્માત કરીને ફરાર થવા પામ્યો હતો.

જેમાંથી ૪ જેટલી ગાયોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને ૨ ગાયોની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ત્યારબાદ લોકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ગાયોના અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા વાહનચાલકની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Share This Article