બિહાર પગપાળા જવા નીકળેલા 20 કામદારોને પરત રવાના કરાયા

admin
1 Min Read

વતન જવાની લહાયમાં હજીરાથી પગપાળા નીકળેલા 20 યુવાનો 150 કિલોમીટરની મુસાફરી કરી પરત આવ્યા હતા. આ યુવાનો હજીરામાં બ્રેડ બનાવતી કંપનીમાં કામ કરતા હતા અને લોકડાઉનને કારણે કંટાળીને વતન જવા નીકળ્યા હતા. ત્યારે કોરોનાને કારણે લોકડાઉનમાં ફસાયેલા કામદારોની સ્થિતિ ઠેર ઠેર દયનીય જોવા મળી રહી છે.  તેમાં કેટલાક એવા પણ છે કે તેઓ પગપાળા વતન જવાનું સાહસ કરી રહ્યાં છે.

આવા જ 20 યુવાનોને સિટીલાઈટ વિસ્તારમાં આરામ કરતા જોતા તેમને અહીં આરામ કરવાનું કારણ પુછ્યું. ત્યારે ખબર પડી કે પગપાળા બિહાર જવા નીકળ્યા હતા. આ અંગે ભોલુરામ નામના યુવાને જણાવ્યું હતું કે હજીરાની કંપનીમાં બ્રેડ બનાવવાનું કામ અમે કરીએ છીએ. લોકડાઉન બાદ વતન જવા માટે કોઈ વ્યવસ્થા થતી ન હતી. બીજી તરફ અહીં કામ વગર બેસીને કેટલા દિવસ કાઢવા.

એના કરતા પગપાળા વતન જવાની હિંમત કરી નાંખી. એમાં અમે 20 સાથીઓ જોડાયા હતા. ભોલુરામ વધુમાં જણાવ્યું હતું કે, ચાલતા ચાલતા હાઈવે પર 150  કિંમીથી વધુ અંતર કાપી નાંખ્યું હતું. ત્યાં જ એક જગ્યાએ પોલીસે પકડ્યા. તેમણે પુછપરછ કરી એટલે બધી વાત સમજાવી દીધી.

આથી પોલીસે અમને સમજાવ્યા અને પરત જવા કહ્યું. જવાના ત્રણ દિવસ અને આવવાના ત્રણ દિવસ અમારા એમ જ ગયા. હવે પાછા રૂમ પર જઈ વતન જવા ટિકિટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે.

Share This Article