સુરત મનપા કોર્પોરેટરે કર્યું રક્તદાન

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારીના કારણે ભારતભરમાં લોકડાઉનની શરૂઆત થઇ છે, ત્યારથી જ સુરતમાં રક્તદાનની પ્રવૃતિ પર તેની ગંભીર અસરથી હાલ રક્તની ભારે અછત જોવા મળી રહી છે.

કોરોના મહામારીમાં દર્દીને રક્ત મળી રહે તે માટે સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સ્મીમેર હોસ્પિટલ ખાતે રક્તદાન કરવામાં આવ્યુ હતું. સાથે જ તેમણે વિડિયો મારફતે પણ સ્વસ્થ હોય તેવા લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી..

 

Share This Article