રાજકોટમાં આજે આજી ડેમ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 2ના મોત થયાં છે. વરસાદી માહોલમાં આજી ડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી જેમાં તેની નજીકથી પસાર થતાં 2 વાહનચાલકોના મોત થયા હતાં
બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે આ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો..
મહત્વનું છે કે વરસાદ હજુ શરૂ જ થયો છે ત્યારે આ બ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી જેને તંત્રની કામગીરીની પોલી ખોલી દીધી હતી. દીવાલ ધરાશાયી થતાં વાહનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. મૃતકોને અને ઘાયલ થયેલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તો બીજીબાજુ આ ઘટના બાદ WGEL કંપનીના મેનેજરે કહ્યું હતું કે ઉંદરના કોતરવાને કારણે દીવાલમાં પાણી ઘૂસ્યું હોય અને પોચી થઇ જતાં આ દુર્ઘટના બની હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. જો કે હજુ યોગ્ય તપાસ બાદ જ ચોક્કસ કારણ સામે આવી શકે છે.